અતિથિ-ગૃહના નવા નિયમ
તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૫ જુના અતિથિ-ગૃહ માટે ૧) ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નં. ૧ અને પહેલે માળે રૂમ નં. ૨ અને ૩ છે. ૨) આ ત્રણ રૂમ, હીરાણી પરિવારના સર્વેને અને હીરાણી પરિવારની દીકરીઓને (તેમના પતિ અને સંતાનો સાથે) એક દીવસ માટે વિના મુલ્યે (ત્રણ મહિને એકવાર) મળશે. જો કોઈ ને એરકંડીશનર વાપરવું હોય તો તેમની વિનંતિથી ચાલુ કરી આપવામાં આવશે, તેના માટે ૨૦૦/- લાગશે. (એક દીવસ એટલે બીજા દીવસના સવારે ૧૦ વાગે સુધીનો એક દીવસ ગણાશે.) એક દીવસથી વધુ રહેવા માટે પ્રતિ દીવસના ૨૦૦/- “સ્થાનક નિભાવ ખર્ચ” માટે લાગશે. (A/C વાપરવું હશે તો તેના Extra ૨૦૦/- લાગશે). ત્રણ દીવસથી વધુ રહી શકાશે નહિ. ૩) હીરાણી પરિવારના અને હીરાણી પરિવારની દીકરીઓની સાથેનાં તેમના અન્ય સબંધીને માટે પહેલા દીવસના ૩૦૦/- અને ત્યાર બાદ વધુ રહેવા માટે પ્રતિ દીવસના ૨૦૦/- “સ્થાનક નિભાવ ખર્ચ” માટે અને A/C વાપરવું હશે તો તેના Extra ૨૦૦/- લાગશે. ત્રણ દીવસથી વધુ રહી શકાશે નહિ. ૪) આ ત્રણ રૂમો માંથી રૂમ નં. ૨ અને ૩, હીરાણી પરિવારનું કોઈ પણ અને હીરાણી પરિવારની દીકરીઓ, જેઓ જાત્રા માટે આવવાના હોય તેના નામથી અગાઉથી ફોન અથવા SMS થી બુક કરાવી તરત ૪૦૦/- પ્રતિ રૂમ, પ્રતિ દીવસના પાલનપુર મોકલી રીઝર્વ કરાવી શકશે. રીઝર્વ કરાવતી વખતે જેના નામ લખાવ્યા હશે, તેમને જ રૂમ મળશે. વધુમાં વધુ ત્રણ દીવસનું માટે રૂમ રીઝર્વ કરાવી શકાશે. રીઝર્વ કરાવેલા દીવસે કોઈ કારણસર પહોચશો નહી તો રીઝર્વવેશન કેન્સલ ગણાશે. ડીપોઝીટ પરત મળશે નહી. રૂમ રીઝર્વ કરાવી આવી જનારને પહેલા દીવસની ડીપોઝીટ પરત મળશે ૫) રૂમ નં. ૧, અ) બહારગામથી દર્શન કરવા આવનારને એકાદ કલાક બેસવા- આરામ કરવા નિશુલ્ક માટે મળશે. તેમજ વિશેષ ગરમી હોય તો એરકંડીશનર નિશુલ્ક ચલાવી આપવામાં આવશે. બ) વયોવૃદ્ધ અથવા પગની તકલીફ હોય તેઓને એક દીવસ માટે આ રૂમ રહેવા માટે એવી શરતથી આપવો કે તેમના જેવા બીજા કોઈ આવે તેમનો રૂમમાં સમાવેશ કરવો પડશે. એક દીવસથી વધુ રહેવા માટે પ્રતિ દીવસના ૨૦૦/- “સ્થાનક નિભાવ ખર્ચ” માટે લાગશે. (A/C વાપરવું હશે તો તેના Extra ૨૦૦/- લાગશે.) ક) રૂમ નં. ૨ અને ૩ ખાલી ન હોય તો રૂમ નં. ૧, એક દીવસ માટે વિના મુલ્યે એવી શરતથી આપવો કે તેમના જેવા બીજા કોઈ આવે તેમનો તે રૂમમાં સમાવેશ કરવો પડશે. તેઓને બીજા દીવસે રહેવું હોય અને રૂમ નં. ૨ અને ૩ ખાલી ન હોય તો, પ્રતિ દીવસના ૨૦૦/- “સ્થાનક નિભાવ ખર્ચ” માટે લાગશે. (A/C વાપરવું હશે તો તેના Extra ૨૦૦/- લાગશે.) ડ) જો કોઈને રૂમ નં. ૧, ખાલી હોય ત્યારે તેમાં કોઈને માં TV જોવું હોય તો, મેનેજર શ્રી હસમુખભાઈને કહેવાથી તેઓ વ્યવસ્થા કરી આપશે. તેના માટે એક વખતના ૨૦૦ આપી સવારના ૧૦.૦૦ થી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી AC ચલાવીને જોઈ શકશે. ઈ) એક દિવસ પૂરો થએ બીજા દીવસે ૧૦ વાગ્યા પછી કોઈ પણ રૂમ ખાલી કરીને જતા હોય ત્યારે થોડા સમય માટે સમાન રાખવા અને બેસવા માટે રૂમ નં. ૧ ખાલી હોય તો તે આપશે. નોંધ:- આ રૂમ રીઝર્વ થઈ શકશે નહી. આ રૂમને માટે રૂમ નં. ૨ અને ૩ના બીજા બધા જ નિયમ લાગુ થશે. ૬) કોઈ સંજોગોમાં ખાસ પરવાનગીથી અન્ય જૈનને રૂમ નં. ૨ અને ૩ આપવામાં આવે તો તેના માટે “સ્થાનક નિભાવ ખર્ચ” પ્રતિ દિવસના ૫00/- આપવાના રહેશે. શ્રીમતિ દિવાળીબેન હરીલાલ મહેતા (નવા) અતિથિ-ગૃહ માટે ૭) ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નં. ૪ અને પહેલે માળે રૂમ નં. ૫ અને ૬ છે. આ ત્રણે રૂમ હીરાણી પરિવાર તેમજ મૂળ પાલણપુરના જૈનો બે દીવસ માટે રહી શકશે, અને અગાઉથી ફોન અથવા SMS થી બુક કરાવી તરત નિશ્ચિત કરેલ રકમ પાલણપુર મોકલી રૂમ રીઝર્વ કરાવી શકશે. રીઝર્વ કરાવેલા દીવસે કોઈ કારણસર પહોચશો નહી તો કેન્સલ ગણાશે. ડીપોઝીટ પરત મળશે નહી. ૮) રૂમ નં. ૪ થી ૬ માટે “સ્થાનક નિભાવ ખર્ચ” પ્રતિ દિવસના નીચે પ્રમાણે લેવો. રૂમ નં. હીરાણી પરિવાર માટે અન્ય જૈન માટે ૪ ૫૦૦/- ૧૦૦૦/- ૫ અને ૬ ૪૦૦/- ૭૫૦/- ૯) અતિથિગૃહ વાપરનારે ખાસ ધ્યાન રાખવાનું કે, આ અતિથિગૃહ આપણું પોતાનું છે, તેમાં કોઈ બગાડ અથવા નુકશાન થાય નહિ તે આપણી જવાબદારી છે. અજાણતા કાંઈ પણ બગાડ અથવા નુકશાન થાય તો જતા પહેલા વ્યવસ્થાપકને તેની જાણ કરી નુકશાનની ભરપાઈ કરવી. યાદ રાખીને રૂમની ચાવી વ્યવસ્થાપકને આપવી. ૧૦) કાંઈ પણ સલાહ – સૂચન અને ફરિયાદ માટે પ્રમુખને મુંબઈ પત્ર લખવો. નિયમો: ૧) એક દીવસ એટલે બીજા દીવસના સવારે ૧૦ વાગે સુધીનો એક દીવસ ગણાશે. ૨) કોઈ પણ રૂમ ત્રણ દીવસથી વધુ માટે મળશે નહી. ૩) દરેક રૂમમાં (રૂમ નં. ૧ થી ૬) બે પુખ્ત વ્યક્તિ અને કુટુંબીની એક વ્યક્તિ જ રહી શકશે. તેના નીચે પાથરવા એક પથારી (ગાદલું-ઓશીકું-ચાદર- ઓઢવાનું) આપીશું ૪) જેના નામથી રૂમનું રીઝર્વવેશન કરાવ્યું હશે તે વ્યક્તિઓ જ રૂમ આપવામાં આવશે. રીઝર્વવેશન બીજાના નામે બદલી શકાશે નહી. ૫) જેટલા દીવસ માટે રૂમ રીઝર્વ કરાવવી હોય તેટલા દીવસની ડીપોઝીટ મોકલવી. ૬) રીઝર્વ કરાવનારે, ડીપોઝીટની રકમ પાલણપુર મોકલવી, અથવા બેંક ઓફ ઈન્ડિયાની કોઈ પણ બ્રાન્ચમાં ખાતા નં. ૨૩૦૦૧૦૧૦૦૦૨૬૦૯૩ માં ભરી તેની ઓરીજીનલ પાવતી ટ્રસ્ટના મેનેજરને પાલણપુર મોકલવી. ૭) જે કોઈ મહેમાન રહેવા માટે આવે તેઓએ બધાના નામ, સરનામાં, ઘરનો ટેલીફોન નબર, મોબાઈલ નંબર, ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે તે રજીસ્ટરમાં લખવું. ૮) એક દિવસ પૂરો થએ બીજા દીવસે ૧૦ વાગ્યા પછી રૂમ ખાલી કરીને થોડા સમય માટે સમાન રાખવા અને બેસવા માટે રૂમ નં. ૧ ખાલી હશે તો આપશે. ૯) દર્શનાર્થીઓ/મહેમાનોને અગવડ પડે નહી તેની પૂરી કાળજી રાખવી, તેઓ રૂમ ખાલી કરીને જાય, ત્યારે તેમની કોઈ ચીજ વસ્તુ રહી જાય નહિ તે માટે રૂમ બરોબર તપાસી લેવો, તેમજ રૂમ બરોબર તપાસી લેવો. રૂમની ચાવી મેનેજરને પરત કરવી. સંપર્ક: શ્રી હસમુખભાઈ ઈ. સુથાર, (મેનેજર). મોબાઈલ નં. +૯૧ ૯૭૨૪૩ ૦૫૩૫૩ હીરાણી માતા સ્થાનક ટ્રસ્ટ, હીરાણી માતા ચોક, પથ્થર સડક, પાલણપુર. ૩૮૫૦૦૧. ગુજરાત. |
Trustees
1) Shri Dineshbhai D Mehta (President) 2) Shri Rajnikant C Mehta 3) Shri Ashwinbhai J Mehta 4) Shri Nanalal D Mehta 5) Smt. Sanyuktaben P Mehta 6) Dr. Satyavatiben S Mehta 7) Smt. Saritaben R Mehta 8) Smt. Rupaben S Mehta 9) Shri Rajeev M Mehta Invitee Trustees 1) Shri Saurabh S Mehta Members of Working Committee 1) Shri Mayankbhai D Mehta (Secretary) 2) Shri Ashishbhai R Mehta (Treasurer) 3) Shri Ashokbhai K Mehta 4) Shri Kaushalbhai K Mehta 5) Shri Milanbhai M Mehta 6) Smt. Sudhaben S Mehta 7) Smt. Nandaben S Mehta 8) Smt. Sandhyaben S Mehta 9) Shri Ajaybhai J Mehta (Surat) 10) Smt. Niyatiben P Mehta (New York) Please fill in the form below in case you have any queries or comments. If you require any changes in the Member Directory, you can give the request in this form, or email us.
|